Pages

Introduction

Pages

Pages

Wednesday, August 26, 2020

સર્જક : હેમચંદ્રાચાર્ય

◆ પ્રારંભિક યુગ - જૈન યુગ - હેમ યુગ ◆

● હેમચંદ્રાચાર્ય ( ઇ.સ. 1089 - 1173 ) ●

👉🏻 જન્મ : ધંધુકા
👉🏻 મૂળનામ : ચાંગદેવ
👉🏻 માતા : પાહિણીદેવી
👉🏻 પિતા : ચાચીંગ કે ચાચ

● દીક્ષા સમયે તેઓનું નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું હતું પરંતુ સુવર્ણ જેવું તેજસ્વી શરીર હોવાથી અને ચંદ્રમાં જેવું મુખ હોવાના કારણે હેમચંદ્ર તરીકે ઓળખાયા.

● પ્રકાંડ વિદ્વાન આચાર્ય દેવચંદ્રસૂરિ તેમના દિક્ષાગુરુ, શિક્ષાગુરુ અને વિદ્યાગુરુ હતા. 21 વર્ષની ઉંમરે હેમચંદ્રાચાર્યએ દરેક શાસ્ત્રોનું મંથન કરી લીધું હતું.

● તેઓ સોલંકીવંશના પ્રતાપી શાસક સિદ્ધરાજ જયસિંહના ગુરુ હતા. તેમજ હેમચંદ્રાચાર્યએ ખંભાતમાં રાજા કુમારપાળને આશ્રય આપ્યો હતો.

● હેમચંદ્રાચાર્યએ સમસ્ત વ્યાકરણ વાડમેયનું અનુશીલન 'શબ્દાનુશાસન' વ્યાકરણગ્રંથની રચના કરી હતી.

● રાજા સિદ્ધરાજ જયસિંહની ભલામણથી હેમચંદ્રાચાર્ય દ્વારા તૈયાર થયેલા 'સિદ્ધહેમ' ગ્રંથને વાંચીને સિદ્ધરાજ જયસિંહે પાટણમાં હાથીની અંબાડી ઉપર આ ગ્રંથને મૂકીને શોભાયાત્રા કાઢી હેમચંદ્રાચાર્યનું સન્માન કરેલું.

● તેઓએ અનેક ગ્રંથોની રચના પ્રાકૃત ભાષામાં કરેલી છે.

● હેમચંદ્રાચાર્યનું સમાધિસ્થળ શેત્રુંજય પર્વત ઉપર આવેલું છે.

● તેમને 'ગુજરાતના વિદ્યાચાર્ય', 'કલિકાલ સર્વજ્ઞ' ( સિદ્ધરાજ જયસિંહ દ્વારા અપાયેલું ) અને 'જ્ઞાનસાગર' ઓળખવામાં આવે છે. 

■ તેમની મહત્વની કૃતિઓ ■

1. સિદ્ધહેમશબ્દાનુશાશન 
2. અભિધાન ચિંતામણી 
3. દયાશ્રય ( કલિકાલસર્વજ્ઞનું બિરુદ પ્રાપ્ત થયું )
4. કાવ્યાનુશાશન
5. છંદાનુશાશન 
6. વીતરાગસ્ત્રોત
7. પ્રમાણમીમાંસા 
8. સંસ્કૃત ભાષકોષ

www.shikshandeep.blogspot.com

No comments:

Post a Comment

if you have any doubts please let me know