Monday, August 31, 2020

સર્જક : નરસિંહ મહેતા

📚 શિક્ષણદીપ 📚

◆ ગુજરાતી સાહિત્ય ◆ 

◆ મધ્યકાલીન યુગ - ભક્તિ યુગ - નરસિંહયુગ ◆

◆ નરસિંહ મહેતા - ઇ.સ. ૧૪૧૪-૧૪૮૦ ◆
( નરસૈયો - આદ્યકવિ - આદિકવિ - ગુજરાતી ભાષાના પ્રથમ કવિ -  ભક્ત હરિનો )

◆ જન્મ : તળાજા (ભાવનગર)
◆ માતા :  દયાકોર
◆ પિતા :  કૃષ્ણદાસ (પુરુષોત્તમદાસ)
◆ પત્ની :  માણેકબાઈ 
◆ દીકરો : શામળદાસ 
◆ દીકરી :  કુંવરબાઈ 

◆ સૌપ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત કરનાર કવિ રાજેન્દ્ર શાહ.

◆ નરસિંહ મહેતા જ્ઞાતિએ વડનગરા બ્રાહ્મણ હતા અને જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવી ત્યાં જ વસવાટ શરૂ કર્યો હતો.

◆ ભાવનગર જિલ્લાના ગોપનાથ મંદિર માં તપશ્ચર્યાથી શિવજીએ તેઓને કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હોવાનું માનવામાં આવે છે.

◆ નરસિંહ મહેતા સાવ દરિદ્ર હોવા છતાં જુનાગઢના રાજા રા'માંડલિકને ચમત્કારિક ઘટનાઓનો અનુભવ થયો હતો.

◆ નરસિંહ મહેતાના જીવનમાં પુત્ર શામળદાસ ના લગ્ન, પુત્રી કુંવરબાઈનું મામેરુ અને પિતાના શ્રાદ્ધ જેવા પ્રસંગોમાં તેઓને ઈશ્વરીય મદદ મળી હોવાની માન્યતા છે.

◆ તેઓના સમયને 'નરસિંહ યુગ' તરીકે ઓળખવામાં આવે છે.

◆ નરસિંહ મહેતાને  ઉમાશંકર જોશીએ 'ગુજરાતી ભાષાના આદિકવિ' તરીકે ઓળખાવ્યા છે.

◆ નરસિંહ મહેતા ગુજરાતી ભાષાની પ્રથમ ફિલ્મ છે અને તેઓની સ્મૃતિરૂપે પ્રતિવર્ષ શ્રેષ્ઠ ગુજરાતી સાહિત્યકારને વર્ષ ૧૯૯૯થી નરસિંહ મહેતા સાહિત્યનિધિ ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતા એવોર્ડ અપાય છે.

◆ નરસિંહ મહેતાની મહત્વની કૃતિઓ : બાળલીલા, દાણલીલા, રાસલીલા, માનલીલા, કુંવરબાઈનુ મામેરુ, સત્યભામાનું રુસણું, રુકમણી વિવાહ, શૃંગાર માળા, ગોવિંદ ગમન,  કૃષ્ણ જન્મની વધાઈ, ચાતુરીઓ, હિંડોળાનાં પદો, સુદામાચરિત્ર, નૃસિંહવિલાસ, અંતરધાન  સમયના પદ, હૂંડી, શામળદાસનો વિવાહ, શૃંગારમાળા, વસંતનાં પદો,  સુદામાચરિત્ર અને મામેરુ

 ◆ નરસિંહ મહેતાની મહત્વની પંક્તિઓ ◆
 
 - ચાલીયો વાટમાં, જ્ઞાનના ઘાટમાં, મિત્ર મોહન તણું નામ લેતો.
- અમે મૈયારા રે.
- જાગો રે જશોદાના જાયા.
- કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે.
- જાગને જાદવા
- ભૂતળ ભક્તિ પદારથ.
- સુખદુઃખ મનમાં ન આણીયે
- નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો.
- આજ મારાં નયણાં સફળ થયાં.
- ઊંચી મેડી તે મારા સંતની રે.
- નાગર નંદજીના લાલ.
- મારી હૂંડી સ્વીકારો મહારાજ રે
- વૈષ્ણવજન તો તેને કહીએ 
- અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ
- આજે વૃંદાવન આનંદસાગર.
- એવા રે અમે એવા રે. 
- જળ કમળ છાંડી જાને બાળા.
- ઘડપણ કોણે મોકલ્યું રે.  
- ભોળી રે ભરવાડ.  
- સખી આજની ઘડી તે રળિયામણી.
- હળવે હળવે હળવે હરિજી મારે મંદિર આવ્યા રે.
- પ્રેમરસ પાને તું, મોરના પિચ્છધર તત્વનું ટૂંપણું તુચ્છ લાગે .
- શામળિયો તે ઉરનું ભૂષણ હૃદયા ભીડી રાખું રે.
- જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.

www.shikshandeep.blogspot.com

My Telegram Link ⤵️

https://t.me/ShikshanDeep

No comments:

Post a Comment

if you have any doubts please let me know