📚 શિક્ષણદીપ 📚
■ ગાંધીયુગ - મોહન યુગ ■
■ ગાંધીજી ઈ.સ. ૧૮૬૯ ■
◆ જન્મ : પોરબંદર, ૨ ઓક્ટોબર ૧૮૬૯
◆ મૂળ નામ : મોહનદાસ કરમચંદ ગાંધી
◆ માતા : પૂતળીબાઈ
◆ આત્મકથા : સત્યના પ્રયોગો
◆ નિર્વાણ દિન : ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ શુક્રવાર
◆ રાષ્ટ્રપિતા તરીકે જાણીતા.
◆ ઇ.સ. 1920માં ગૂજરાત વિદ્યાપીઠના સ્થાપક.
◆ જોડણીકોશ રચવાનું મહાન કાર્ય કરનાર.
◆ સત્યાગ્રહ આશ્રમ અને સાબરમતી આશ્રમના સ્થાપક.
◆ વિશ્વભરની ઉત્તમ આત્મકથાઓ પૈકીની એક 'સત્યના પ્રયોગો' ( માય એક્સપીરીયન્સ વિથ ટુથ ) આપી.
◆ રિચર્ડ એટનબરો દ્વારા ગાંધી ફિલ્મનું સર્જન થયું હતું.
◆ ગાંધીજીએ કહેલું કે 'અંગ્રેજી ભાષાના શબ્દોની જોડણી ખોટી કરતા આપણને શરમ લાગે છે, તેના કરતાં માતૃભાષાની જોડણીનો વધ કરતા આપણને વધારે શરમ લાગવી જોઈએ.
◆ ગાંધીજીના જીવન પર ટૉલ્સ્ટૉયનો પ્રભાવ હતો.
◆ ગાંધીજીને રંભાએ રામ નામનો મંત્ર આપ્યો હતો.
◆ ગાંધીજીની મહત્વની કૃતિઓ : સત્યના પ્રયોગો (આત્મકથા), ગીતાબોધ, કેળવણીનો કોયડો.
◆ લખાણ : નવજીવન, યંગ ઇન્ડિયા, હરિજન બંધુ.
◆ વિચાર ગ્રંથ : હિંદ સ્વરાજ, આરોગ્યની ચાવી, અનાસક્તિયોગ, મંગલપ્રભાત, વ્યાપક ધર્મભાવના, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ.
https://t.me/ShikshanDeep
No comments:
Post a Comment
if you have any doubts please let me know