Thursday, September 30, 2021

Gujarat Police PSI Bharti 2021 (333 PSI, Technical Operator Posts)

Gujarat Police PSI Bharti 2021 (333 PSI, Technical Operator Posts)


ગુજરાત પોલીસ સામૂહિક વાયરલેસ વિભાગના વાયરલેસ વિભાગમાં, પોલીસ સબ ઇન્સ્પેક્ટર (MT) ટેકનોલોજીકલ ઓપરેટર અને મોટર ટ્રાન્સપોર્ટ (MT) વિભાગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (MT) વિભાગમાં સીધી ભરતી માટે ટેકનોલોજીકલ  HTTPS://ojas.gujarat.gov.in વેબસાઇટ 20/10/21 સુધી ઓનલાઇન અરજી માટે વેબસાઇટ .01/10/21 પર જવાનું છે.



Gujarat Police In the wireless section of the wireless section of the mass, the police sub inspector (MT) in the Technological Operator and Motor Transport (MT) section in the section of the police sub-inspector (MT) Technological for direct recruits For which the HTTPS://ojas.gujarat.gov.in website is going to go to the website .01/10/21  to the online application until the 20/10/21, and other necessary instructions for the website. 

Gujarat Police ASI PSI Recruitment 2021 – Overview



Department Name : Gujarat Police Department

Advt. No.: TRB/202122/1 , TRB/202122/2, TRB/202122/3

Recruitment Name : PSI Wireless, Technical Operator, PSI MT

Total Vacancies: 333 vacancies

Type of Post: Class - 3

Official Website: www.ojas.gujarat.gov.in

Gujarat Police Assistant Sub Inspector PSI Vacancy 2021 – Details



Total Posts : 333

Police Sub Inspector (PSI Wireless) : 62 Posts

Technical Operator : 236 Posts

Police Sub Inspector (PSI MT) : 35 Posts

Eligibility Criteria for Gujarat PSI Bharti 2021



EDUCATIONAL QUALIFICATION:-

-

Knowledge of Computer

AGE LIMIT:-

Above 21 years and below 35 years. 

Age relaxation in the upper age limit will be applicable for reserved categories are as follows:-

Scheduled Caste (SC) = Up to 05 years

Scheduled Tribe (ST) = Up to 05 years

Socially and Educationally Backward Classes (SEBC) = Up to 05 years

Economically Weaker Sections (EWS) = Up to 05 years


 
Woman Candidates of Unreserved Category = Up to 05 years


 
Woman Candidates of Reserved (SC/ ST/ SEBC) Category = Upto 10 years

Gujarat Police Sub Inspector PSI Recruitment 2021 – Important Dates
Official Notification Release Date : 30/09/2021

Starting Date to Apply Online Application Form: 01/10/2021

Closing Date for Submission of Online Application Form: 20/10/2021
 

Click here to visit – https://ojas.gujarat.gov.in

નકળંગનો મેળો - ગુજરાતનો ઇતિહાસ

નકળંગનો મેળો



       કોળિયાકમાં ભાદરવી અમાસે ભરાતો નકળંગનો મેળો દરિયા  કિનારે નકળંગ મહાદેવના મંદિરે ભરાય છે.


       આજુબાજુની ગામડાઓમાંથી આવતા અસંખ્ય લોક સમુદાયમાં મુખ્યત્વે કોળી પ્રજા વિશેષ જોવા મળે છે . ભાદરવા મહિનાની અમાસે યોજાતા આ મેળાનું પૌરાણિક મહાત્મ્ય અલૌકિક છે.

        મહાભારતમાં જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પાંડવો તેમની માતા કુંતાજી પાસે ગયા . કુંતામાતા સમગ્ર હકીકત જાણીને બોલ્યા કે “તમે હવે હિમાળો ગાળો ” અર્થાત હવે હિમાલયમાં સમાધીષ્ટ થાઓ . માતાની આજ્ઞા પ્રમાણે પાંડવો હિમાલય પહોંચ્યા . પરંતુ પર્વતાધિરાજ હિમાલયે પણ તેઓને કુળ બંધુઓનો નાશ કરનાર પાપી ગણ્યાં . આથી હિમાલયે તેઓને સમાવવાની ના પાડી. પાંડવોએ હિમાલય પાસેથી બીજે ક્યાં જવું ? તેનો રસ્તો માંગ્યો . પર્વતાધિરાજ હિમાલયની આજ્ઞાથી પાંડવો પોતાના પાપ નિષ્કલંક કરવા કાળી ધજા લઈ ચાલી નીકળ્યા. હિમાલયના જણાવ્યા પ્રમાણે જ્યાં આ ધજા સફેદ થઈ જાય ત્યાં તેઓના પાપોનો નાશ થયો તેમ સમજવું . પાંડવો ભ્રમણ કરતાં કરતાં ભાવનગર પાસેના હાથક ગામ પાસે પહોંચ્યા ત્યાં અડધી ધજા સફેદ થઈ ગઈ . પાંડવો સમજી ગયા કે તેઓ યોગ્ય સ્થળે પહોંચ્યા છે . ત્યાંથી તેઓ આગળ કોળીયાક પાસે પહોંચ્યાં જ્યાં અમાસ હોવાથી દરિયો દૂર જતો રહ્યો હતો . ત્યાં પહોંચતા જ આખી ધજા સફેદ થઈ ગઈ . પાંડવોએ ત્યારે દરિયામાં અઢી ત્રણ કિ.મી. ચાલીને નિષ્કલંક મહાદેવને સ્થાપિત કરી તેમની પૂજા કરી નિષ્કલંક  થયા. ત્યાં આજે પણ પાંચ હજાર વર્ષ પહેલાં પાંડવો દ્વારા સ્થાપિત પાંચ શિવલિંગ હયાત છે .જ્યાં આજે પણ ભાવનગરના  મહારાજશ્રીના હાથે પૂજન થયેલી સફેદ ધજા જ ચડે છે.

       મંદિર ઉપર ધજા ચડાવવા માટે વહેલી સવારે દરિયામાં હોડીમાં બેસીને જવું પડે છે . સવારે ૯ વાગ્યા પછી દરિયામાં ઓટ આવતા બે - ત્રણ લાક માટે દરિયો મંદિર સુધી જવાનો રસ્તો કરી આપે છે . આ દિવસ દરમિયાન બે વાર આ રીતે દર્શન થઈ શકે છે. 

      કોળીયાકમાં ઋષિ પાંચમે પણ ન્હાવાનું ખૂબ મહાભ્ય છે . ઓટના સમયે દરિયામાં ચાલી સ્નાન કરી , દરિયા વચ્ચે રહેલા નકળંગ મહાદેવને ધૂપ - દીપ અને શ્રીફળ ચઢાવી . પૂજા , કરતો માનવ મહેરામણ આખો . દિવસ દરિયા કિનારે જ રહે છે . ભાદરવો મહિનો પિતૃનો મહિનો હોવાથી આ મેળામાં સાધુ સંતો અને ભુવા પણ હોય છે . મંત્ર - તંત્ર અને ડાકલાના અવાજો પણ સાંભળવા મળે છે . ગુજરાત - ભરમાંથી અને બહારથી પણ લોકો શ્રદ્ધાપૂર્વક અહિં નકળંગ મહાદેવના દર્શનાર્થે આવે છે . આ રીતે નકળંગના મેળાનો રંગ બીજા મેળાઓથી અલગ છે.

◆ સ્ત્રોત : ગુજરાતના લોકત્સવો અને મેળા



મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચેની લિંક ઓપન કરો ⤵️


Join My Whatsapp Group : શિક્ષણદીપ ⤵️




Friday, September 24, 2021

મેડમ ભિખાઈજી કામા

ભારતની સ્વતંત્રતા સંગ્રામના જાણીતા અને પ્રથમ મહિલા ક્રાંતિકારી હતા.


મેડમ ભીખાઈજી કામાનો જન્મ ૨૪ સપ્ટેમ્બર ૧૮૬૧ ના રોજ મુંબઈના એક શ્રીમંત પારસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ સોરાબજી ક્રામજી પટેલ અને માતાનું નામ જીજીબાઈ હતું. સોરાબજી મુંબઈના જાણીતા વેપારી હતા. ભીખાઈજી કામા એલેક્ઝાન્ડર પારસી ગર્લ્સ સ્કૂલમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શાળાના અભ્યાસ દરમિયાન ભીખાઈજી તેજસ્વી વિદ્યાર્થીની તરીકે વર્ગમાં પ્રથમ આવતા હતા. નાની ઉમરથી જ દેશપ્રેમના બીજ તેના માનમાં રોપાઈ ચૂક્યા હતા.

બ્રિટીશ જુલમશાહીનો પહેલેથી જ વિરોધ કરી પોતાના દીન દુ:ખીયા ભાઈ બહેનોની સેવા કરવાનું તેને મનોમન નક્કી કરી દીધું હતું. સમાજસેવાની સેવા તેને પોતાના શાળા કોલેજના વર્ષો દરમિયાન જ શરૂ કરી દીધું હતું.

ઈ.સ. ૧૮૯૭માં મુંબઈમાં પ્લેગની મહામારીનો રોગ ફેલાઈ ચૂક્યો હતો ત્યારે પોતાના જાનના જોખમે પણ લોકોની સેવામાં તેઓ લાગી ગયા હતા. પ્લેગના ચેપી રોગમાં માદામ ભીખાઈજી પણ સપડાઈ ગયા હતા પરંતુ ભવિષ્યમાં બ્રિટીશરો સામે ટક્કર લેનાર આ વીરાંગના પ્લેગના રોગનો હિંમતપૂર્વક પ્રતિકાર કર્યો.

સમાજસેવાને મનોમન વારી ચૂકેલા માદામ ભીખાઈજી લગ્ન કરવાના વિરુદ્ધમાં હતા. પરંતુ પિતાના આગ્રહને વશ થઈને મોતી કે.આર.કામા સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ પણ તેમણે મન સમાજસેવા અને દેશપ્રેમ સર્વોપરી હતા. એટલે તેમનું લગ્નજીવન લાંબુ સમય તાકી શક્યું નહિ. વારંવાર પતિ સાથે થતાં વિખવાદથી તેઓ બંને અલગ થઇ ગયા હતા. આ રીતે પતિથી છૂટા પડ્યા બાદ પણ પોતાની તમામ શક્તિઓ અને પોતાનું સર્વસ્ય દેશની સમર્પિત કરી દીધું હતું.

તેમણે ઈ.સ. ૧૯૦૫માં વંદે માતરમ નામનું ક્રાંતિકારી અખબાર જીનીવાથી શરૂ કર્યું હતું. અને તેમાં તેમણે અંગ્રેજોની દમનનીતિનો ચિતાર રજૂ કર્યો. તેમની તબિયત બગડતાં મોટી બીમારીની શસ્ત્રક્રિયા કરાવવા માટે તેમને ઇંગ્લેન્ડ જવું પડ્યું ત્યાં તેમનો પરિચય શ્યામજી કૃષ્ણવર્મા સાથે થયો. તે સમયે સર દોરાબજી તાતા અને વીરેન્દ્ર ચટ્ટોપાધ્યાય જેવા અન્ય ક્રાંતિકારીઓ અભિનય ભારત ના નામે એક મંડળી ચલાવતા હતા તેની સાથે માદામ ભીખાઈજી કામા સાથે જોડાઈ ગયા.

વિદેશમાં તેમના વધતા જતા પ્રભાવથી ભયભીત થઈને બ્રિટિશરોએ તેમને ફ્રાંસમાંથી ભારત હાંકી કાઢવાની માંગણી કરી હતી. પરંતુ ફ્રેંચ સરકારે તેમને પોતાની માતૃભૂમિમાં પાછા મોકલવાની અને તેમની સંપત્તિને જપ્ત કરવાની બ્રિટિશરોની માંગણીને નકારી કાઢી હતી. મેડમ કામાને પરાસ્ત કરવાના બ્રિટિશરોના અથાક પ્રયત્નો બાદ પણ મેડમ કામાએ ભારતની સ્વતંત્રતા માટે તેમની લડત ચાલુ રાખી હતી.

ઈ.સ. ૧૯૦૭માં વિદેશ ભૂમિ (જર્મની) ઉપર યોજાયેલા આંતરરાષ્ટ્રીય અધિવેશનમાં બધા દેશો દ્વારા પોતપોતાના રાષ્ટ્રીયધ્વજ લહેરાવ્યો હતો. તેની સાથે આ બાનુએ ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો હતો. આ ધ્વજમાં સૂર્ય ચંદ્ર અને સપ્તર્ષિના સાત તારાઓનું પ્રતીક હતું તેમજ ધ્વજની વચ્ચે દેવનાગરી લિપિમાં ‘વંદે માતરમ’ લખ્યું હતું.

તેમણે વિદેશની ધરતી પર ભારતીય ધ્વજ ફરકાવતા નિડરતાથી ઘોષણા કરતા કહ્યું હતુ કે, 'આ ભારતીય સ્વતંત્રતાનો ધ્વજ છે. હું તમામ સભાસદોને આહવાહન કરૂ છું કે ઉઠો... હું દુનિયાભરના તમામ સ્વતંત્રતાના ચાહકોને આ ધ્વજ સાથે સહભાગી થવાની અપિલ કરૂ છું. વંદે માતરમ્....વંદે માતરમ્...'

મેડમ ભિખાજીમાં દેશભક્તિ અને શૂરવીરતાનો અનોખો સંગમ હતો. એમણે યુરોપ અને અમેરિકામાં ભારતની આઝાદીનો નાદ જગાડ્યો હતો. તેમના હાથે ક્રાંતિકારીઓની સંસ્થા ‘અભિનવ ભારત’નો શુભારંભ કરાવાયો હતો. ઈ.સ. ૧૯૩૫માં ૭૪ વર્ષે તેઓ ભારત પાછા ફર્યા ત્યારે તેમના બેગ બીસ્તરામાંથી વંદે માતરમ લખેલા રાષ્ટ્રધ્વજો તથા આઝાદીની લડતને લગતી અન્ય સાહિત્ય પ્રાપ્ત થઇ અંગ્રેજી દ્વારા તે બધું જ સળગાવી દેવામાં આવ્યું હતું.
ઈ.સ. ૧૯૩૬માં ૧૩મી ઑગસ્ટના રોજ મુંબઈની એક પારસી હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

Thursday, September 23, 2021

JAVAHAR NAVODAY ENTRANCE EXAM ONLINE APPLICATION FOR ADMISSION TO CLASS 6 (2022-23).

Jawahar Navodaya Vidyalaya Selection Test - 2022


JNV Selection Test for admission to Class-VI in JNVs for the academic session 2022 will be held in , the  at in one phase for all Jawahar Navodaya Vidyalayas

Type of Test Number of Questions Marks Duration
Mental ability Test ::: 40 Questions 
Arithmetic Test  ::: 20 Questions 
Language Test ::: 20 Questions 
Total 80 Questions 
100 MArks 
 2 Hours


◆ જવાહર નવોદય વિદ્યાલય એડમીશન ફોર્મ 2022 ધોરણ 6 ◆


Wednesday, September 22, 2021

World Rhino Day 2nd Sept


WORLD RHINO DAY



➡️ થીમ - Keep the five alive


⏩ આ દિવસ ઉજવવાની શરૂઆત વર્ષ ૨૦૧૦ માં વર્લ્ડ વાઈલ્ડ ફંડ ફોર નેચર દ્વારા કરવામાં આવી હતી

1. બ્લેક રાઇનો - કાળા પેંડા

2. વ્હાઇટ રાઈનો - સફેદ ગેંડા

૩. સુમાત્રન ગેંડા (બે શિંગડા)

4. જાવન ગેંડા (સુંડા ગેંડો

5. ધી ગ્રેટર વન હોર્નેડ રાઇનો - એકલિંગી ભારતીય ગેંડા


⏩ 'બ્લેક અને વ્હાઇટ ગેંડા આફ્રિકામાં જોવા મળે છે.


⏩ જ્યારે સુમાત્રન, જાવન અને ગ્રેટર વન હોર્નેડ (એકશિગી) એશિયામાં જોવા મળે છે.


⏩ એકશિગી – ધી ગ્રેટર વન હોર્નેડ રાઇનો ની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.


⏩ વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરની માહિતી પ્રમાણે 20 મી સદીની શરૂઆતમાં

5,૦૦,૦૦૦ ગેંડા આફ્રિકા અને એશિયામાં ફરતા હતા.


⏩ 1970 સુધીમાં સંખ્યા ઘટીને 70,000 થઈ અને આજે 27,000 ગેંડા જ વધ્યા છે.


⏩ ભારતમાં 85% એકલિંગી ગેંડાઓની વસાહત ધરાવે છે.


➡️ એકશીગી ગેંડા સૌથી વધુ વજન ધરાવતા (2 ટન કરતાં વધુ) છે.


➡️ આસામમાં વિશ્વભરના એકશીગી ગેંડાની 2/3 વસ્તી છે. (1700 +)


➡️ 2008 માં 2400 જેટલાં હતાં. જે 2015માં 3000 આજુબાજુ વસ્તી ધરાવતા થયા.


➡️ 2015માં તેઓના રક્ષણ માટે સ્પેશ્યલ રહાઇનો પ્રોટેક્શન ફોર્સ અમલમાં મૂકાઈ.


➡️ જૂન 2019માં 82 હથિયારધારી રક્ષકો મૂકાયા. જેમાં 8 મહિલાઓ છે.


➡️ એશિયાઇ ગેંડાઓને બચાવવા માટે ભારતે – નેપાળ, ભૂટાન, મલેશિયા અને ઇન્ડોનેશિયા 4 દેશ સાથે "ન્યુ દિલ્હી ડિક્લેરેશન ઓન એશિયન રાઇનોઝ, 2019 પર સહયોગ કર્યો.


➡️ તાજેતરમાં આસામ સરકારે રાજ્યની તિજોરીમાં રહેલા 2,623 ગેંડાના શિંગડાઓમાંથી 2,479 નો જાહેરમાં નાશ કરવાનો નિર્ણય લીધો છે.

➡️ બાકીના, 94 હેરિટેજ પીસ તરીકે અને 50 ને કોર્ટ કેસ માટે સાચવી રખાશે.

Thursday, September 16, 2021

GSERC Granted Secondary & Higher Secondary Recruitment 2021

GSERC Granted Secondary & Higher Secondary Recruitment 2021 

IMPORTANT LINK:

● સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી વર્ષ-૨૦૧૯-૨૦ નું qualified waiting list- 3 જાહેર કરેલ છે. : Click Here

Friday, August 27, 2021

GSRTC Conductor Call Letter 2021

GSRTC Conductor Call Letter 2021


GSRTC Conductor Recruitment 2021 Notification Pdf for 2389 Parichalak Registration @gsrtc.in. Gujarat Roadways Bharti 2021 Online Application Form is available here for the Post of 2389 Conductor Jobs. Candidates Apply Online for GSRTC Jobs 2021 Before the Last Date of Registration From This Webpage for Conductor (Parichalak/Samvida) Posts.

Gujarat State Road Transport Corporation, abbreviated GSRTC, is a Government State Transport Undertaking of Gujarat for passengers facilitating with road public transport in mofussil/city services. GSRTC operates within the state of Gujarat, India, and neighboring states. It has a fleet of 8703 buses.

Gujarat State Road Transport Corporation (GSRTC) has published the Exam Date Change Notification for the post of Conductor 2021. Check below for more details.

Posts Name: Conductor

Download Call Letter: Click Here

Exam Date Change Notification: Click Here

The exam will be held on 05-09-2021

Final O.M.R. Merit List: Click Here


Saturday, August 21, 2021

Gujarat State Trible Education Society (GSTES) Recruitment 2021

Gujarat State Trible Education Society (GSTES) has published an Advertisement for the below-mentioned Posts. Eligible Candidates are advised to refer to the official advertisement and apply for this post. You can find other details like age limit, educational qualification, selection process, application fee, and how to apply are given below.


Gujarat State Trible Education Society (GSTES) Recruitment 2021

Job Details:

Posts:

Teacher
Clerk
Warden
Physical Instructor
Educational Qualification: 

Please read Official Notification for Educational Qualification details.
Selection Process: 

Candidates will be selected based on an interview.
How to Apply ?: 

Eligible candidates may send their application & necessary documents to the given address in the advertisement.
Note: Candidates are suggested to read the official notification before applying.


Job Advertisement: Click Here


Last Date: 

31-08-2021
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.

Thursday, August 12, 2021

Javelin Throw Day will be celebrated on August 7 Every Year

हर साल 7 अगस्त को जेवलिन थ्रो डे मनाया जाएगा |


👉🏻 હવે દર વર્ષે 7 ઑગસ્ટના રોજ જૅવેલિન થ્રો ડે ઉજવાશે.

Neeraj_Chopra


◆ ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા(AFI) દરવર્ષે 7 ઑગસ્ટના રોજ જૅવેલિન થ્રો ડે ઉજવશે. 

◆ ભારતીય ઍથ્લેટિક્સ નીરજ ચોપરાના સન્માનમાં આ નિર્ણય લેવાયો છે.

◆ આ માટે AFIના ચૅરમૅન લલિત ભાનોતે ફેડરેશનની પ્લાનિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મૂકી હતી.

◆ નીરજ ચોપડાએ ટોક્યો ઑલિમ્પિક્સ-2020માં 7 ઑગસ્ટના રોજ ‘જૅવેલિન થ્રો ઇવન્ટ’માં 87.58 મીટરનો થ્રો કરી ગોલ્ડ મેડલ જીત્યો હતો.

◆ ઑલિમ્પિકની વ્યક્તિગત સ્પર્ધામાં ભારતને 13 વર્ષ બાદ બીજો ગોલ્ડ મળયો હતો.

◆ અગાઉ શૂટર અભિનવ બિન્દ્રાએ 2008 બેઇજિંગ ઑલિમ્પિકમાં પ્રથમવખત ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

◆ ઍથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા (AFI)  ભારતમાં આવેલી ઍથ્લેટિક્સ માટે સર્વોચ્ચ સંસ્થા છે.


भाला फेंक दिवस अब हर साल 7 अगस्त को मनाया जाएगा ।

 भारतीय एथलेटिक्स महासंघ (एएफआई) हर साल 7 अगस्त को भाला फेंक दिवस मनाएगा ।

 यह फैसला भारतीय एथलेटिक्स नीरज चोपड़ा के सम्मान में लिया गया है ।

 यह एएफआई अध्यक्ष ललित भनोट द्वारा फेडरेशन की योजना समिति की बैठक में प्रस्तावित किया गया था ।

 नीरज चोपड़ा ने 7 अगस्त को 'जेवलिन थ्रो इवेंट' में 87.58 मीटर फेंककर टोक्यो ओलंपिक 2020 में स्वर्ण पदक जीता ।

 ओलंपिक के व्यक्तिगत स्पर्धा में भारत को 13 साल बाद दूसरा स्वर्ण मिला ।

 पूर्व निशानेबाज अभिनव बिंद्रा ने 2008 बीजिंग ओलंपिक में पहली बार स्वर्ण पदक जीता ।

 एथलेटिक्स फेडरेशन ऑफ इंडिया (एएफआई) भारत में एथलेटिक्स के लिए शीर्ष निकाय है ।

Wednesday, July 28, 2021

ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન

 ગુજરાતનું ગૌરવ વિશ્વ સ્તરે : ધોળાવીરાને UNESCO દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટનું સન્માન




ગુજરાતની પાંચ હજાર વર્ષ પુરાણી પુરાતત્ત્વીય સાઈટ ધોળાવીરાને સત્તાવાર રીતે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો અપાયો છે. ચીનમાં ચાલી રહેલી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ પહેલા તેલંગાણાના રામપ્પા મંદિરને હેરિટેજ જાહેર કરાયું હતું. એ રીતે આ વખતે હેરિટેજ સમિતિની 44મી બેઠકમાં ભારતના બે સ્થળોને વર્લ્ડ હેરિટેજનો દરજ્જો મળ્યો છે.

 

કચ્છનો પ્રવાસન વિકાસ થયો

ધોળાવીરા ગુજરાતની ધરોહર છે, પરંતુ સરકારે તેને બહુ મોડેથી વિકસાવી. કચ્છનો પ્રવાસન વિકાસ થયો ત્યારે ધોળાવીરાનો નંબર લાગ્યો બાકી તો ત્યાં ચાર-સાડા ચાર હજાર વર્ષ જૂનો ઈતિહાસ ધરતીમાં ધરબાયેલો છે. ધોળાવીરની બે ઓળખ વિશ્વભરના ચાહકોને ત્યાં ખેંચી લાવે છે. એક ઓળખ એટલે ત્યાંથી મળી આવેલું સાઈન બોર્ડ અને બીજી ઓળખ એટલે જળસંચય-સંગ્રહની પરંપરા. ધોળાવીરામાંથી સાઈન લેંગ્વેજ (સાંકેતિક ભાષા-લીપી)માં લખાયેલું સાઈનબોર્ડ મળી આવ્યું છે.

 

ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું.

એમાં શું લખ્યું છે, એ દુનિયાભરના સંશોધકો ઉકેલી શક્યા નથી. તો વળી ધોળાવીરાનું વોટર મેનેજમેન્ટ આજની બધી સરકારોએ શીખવું પડે એવું હતું. ખાસ અને આમ એમ બે પ્રકારના નગરજનોમાં વહેંચાયેલા નગરનું બાંધકામ પણ એવું હતું, જેમાં વચ્ચેના ભાગમાં રાજવીઓ કે પછી નગપપતિઓ રહેતા. બહારના ભાગમાં ગામજનો રહેતા. રણ વિસ્તાર હોવા છતાં પાણીની અછત ઉભી ન થાય એટલા માટે નગર ફરતે અનેક કદાવર ટાંકા બનાવાયા હતા. એ ટાંકા આજે પણ ધોળાવીરા જનારા પ્રવાસીઓ જોઈ શકે છે. તો વળી હજારો વર્ષ પહેલા ત્યાં પથ્થરનું બાંધકામ એવી રીતે કરાયું હતું કે પાણીની ઠંડક જળવાઈ રહે. એ વખતના બાથરૃમ અને જળ સંગ્રહના ટાંકા પણ ધોળાવીરાની મુલાકાત વખતે જોઈ સમજી શકાય જો સાથે ગાઈડ હોય તો. ધોળાવીરાની જોકે જોઈએ એવી જાળવણી થતી નથી. અગાઉ ત્યાં બાંધકામના નામે પુરાતત્વીય અવશેષો પર બુલડોઝર ફેરવાયા હતા તો વળી હમણાં આગ પણ લાગી હતી. હવે તેને હેરિટેજનો દરજ્જો મળશે એટલે વિશ્વભરમાંથી પ્રવાસીઓ વધુ અપેક્ષા સાથે આવશે. એમની અપેક્ષા પ્રમાણે ધોળાવીરાની જાળવણી કરવી એ પણ આપણી ફરજ છે.

ધોળાવીરાવાસીઓએ હજારો વર્ષ પહેલા ડેમ, નહેર, જળાશય, વાવ, કૂવા સહિતનું જડબેસલાક નેટવર્ક ઉભું કર્યું હતું. પાણીનું એક એક ટીપું તેઓ બચાવી જાણતા હતા. ધોળાવીરાની બે દિશાએથી મનહર નદીની બે શાખા ફંટાતી હતી, જ્યારે શહેરના અન્ય ભાગમાં જળ સંચયના ટાંકા હતા. એ જમીની ટાંકા આજે પણ ધોળાવીરાની સાઈટ ફરતે સ્પષ્ટ જોવા મળે છે. પૂર્વમાં આવેલો સૌથી મોટો જળ હોજ તો ૮૯ મીટર લાંબો, ૧૨ મીટર પહોળો અને સવા સાત મીટર ઊંડો છે. તેમાં ૭૭ લાખ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે. એ વખતના રહેવાસીઓે એવી સગવડ કરી હતી કે નહેર દ્વારા મનહરનું પાણી ટાંકા સુધી પહોંચી જતું હતુ. આખા નગરમાં ઠેર ઠેર જળાશય, નહેર, તળાવ વગેરે બનાવેલા હતા. માટે મનહરનું પાણી નગર સુધી પહોંચી ઠેર ઠેર વહેંચાઈ જતું હતું. એટલું જ નહીં રણ વિસ્તારમાં આવેલું હોવા છતાં ધોળાવીરા વાસીઓને પાણીની અછતનો સામનો કરવો પડતો ન હતો. ક્યાંક ક્યાંક ચેકડેમ જેવી રચના હોવાના પુરાવા પણ સંશોધકોને હાથ લાગ્યા છે.

 

ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું

નગરના આજે જેટલા બાંધકામો બચ્યા છે, એમાંથી ૫૦ ટકા કરતા વધારે તો જળ વ્યવસ્થાપન માટેના છે. ધોળાવીરાનું જળ સંચાલન અવશેષોમાં સિમિત રહ્યું, પણ તેનો અભ્યાસ કરવામાં આવે તો આજેય પાણી કેમ સાચવવું તેના રસ્તા મળી આવે એમ છે.

ધોળાવીરા જતા પ્રવાસીઓ જો ગાઈડની મદદ લે તો તેમને જાણવા મળે કે અવશેષોમાં એ જમાનાનું બાથરૃમ છે અને એ જમાનાનું ફ્રીજ પણ છે. ત્યાંનું કદાવર બાથરૃમ, જે આમ જનતા માટે નહીં પણ સત્તા પર બેઠેલા ખાસ નાગરિકો માટેનું હતું. એ બાથરૃમ સુધી જરા દૂર આવેલા કૂવામાંથી પાણી આવતું રહેતું. કુવામાં પાણી ખૂટે તો વળી નગર બહાર આવેલા કદાવર જળાશયોમાંથી કૂવો ભરાતો રહે એવી પણ ધોળાવીરાના ભણેલા અને ગણેલા એન્જીનિયરોએ વ્યવસ્થા કરી હતી.

 

ફ્રીજ અથવા જળ સંગ્રહનો ટાંકો, જેની દીવાલો કોઈ એક પથ્થરની નહીં, એકથી વધારે પ્રકારના પથ્થરો વાપરીને બનાવાઈ છે. તેના કારણે ઊનાળામાં પાણી ઠંડું રહે. આજે પણ તેમાં ભરાયેલું પાણી ઊનાળામાં ઠંડું રહી શકે એમ છે. પાણી ઠંડું રહે એટલા માટે બાથરૃમની દીવાલો ખાસ પ્રકારે બનાવાઈ હતી. પથ્થરના એકથી વધારે થર છે, તેની વચ્ચે મુલતાની માટીનું પડ છે. ફ્રીજને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે અને આ ટાંકાને પણ તેની દીવાલોને કારણે ઠંડક મળે છે.

ધોળાવીરાના જાણકાર ગાઈડ ચમનભાઈએ જણાવ્યું હતું કે આ જળ-સંગ્રહસ્થાન એ જમાનાનું ફ્રીજ છે. પણ ધોળાવીરા આવતા મોટા ભાગના પ્રવાસીઓ પથ્થરમાં ઊંડા ઉતર્યા વગર ફોટો શેસન કરીને રવાના થાય એટલે તેમને એ માહિતી મળી શકતી નથી’. ક્યારેક ફ્રીજ સાફ કરવાનું થાય ત્યારે બધું પાણી ખાલી કર્યા પછીય સાફ-સફાઈ માટે બહારથી લાવવું ન પડે એટલા માટે ફ્રીજમાં વળી નાનો હોજ પણ છે, જેમાં થોડું પાણી સચવાતું.

 

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું

ધોળાવીરા સિંધુ ખીણની સંસ્કૃતિ-સભ્યતાના સૌથી મહત્વના નગર પૈકીનું એક હતું. આજનું પશ્ચિમ ભારત, અફઘાનિસ્તાન અને પાકિસ્તાન સિંધુ સભ્યતામાં સમાવેશ પામતા હતા. આ સંસ્કૃતિ ૮ હજાર વર્ષ એટલે કે જગતની સૌથી જુની સંસ્કૃતિ છે.

સિંધુ નદીના બન્ને કાંઠે વિસ્તરી હોવાથી તેને સિંધુ ખીણની સંસ્કૃતિ કહે છે. એક સમયે આ સંસ્કૃતિનો વિસ્તાર ૧૫ લાખ ચોરસ કિલોમીટર (અત્યારના ભારત કરતાં અડધો) હતો. આપણુ ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબનો કેટલોક ભાગ વગેરે સિંધુ સભ્યતાના પ્રદેશો હતા. સિંધુ સંસ્કૃતિ કેમ નાશ પામી એ અંગે સંશોધકો પાસે કોઈ ચોક્કસ જવાબ નથી. વિવિધ થિયરીઓ રજૂ થતી રહે છે.

 

નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત

આઈઆઈટી ખડગપુરના સંશોધકોએ થોડા વર્ષ પહેલા એક થિયરી રજૂ કરી હતી, જે પ્રમાણે નબળાં ચોમાસા ધોળાવીરાના પતનમાં કારણભૂત હતા. એ સંશોધન પ્રમાણે આજથી ૪૩૫૦ વર્ષ પહેલા ચોમાસું નબળું પડવાની શરૃઆત થઈ હતી. એ પછી સતત ૯૦૦ વર્ષ સુધી ચોમાસું નબળું જ રહ્યું. પરિણામે સિંધુ ખીણ વિસ્તાર છોડીને અહીંના લોકો અન્યત્ર જતાં રહ્યા હશે.

સંશોધન પ્રમાણે શરૃઆતમાં તો સિંધુ સભ્યતાના રહેવાસીઓએ ઓછા વરસાદમાં પણ રહેવાની ટેવ પાડી દીધી હતી. પરંતુ વરસો વરસ વરસાદ ઘટતો જ ગયો એમાં ખેતી-વેપાર-ઉદ્યોગ-ધંધા બધું જ નબળું પડતું ગયું. સુક્કા વાતાવરણમાં ઘણા લોકો-પશુ-સજીવો મૃત્યુ પામ્યા તો બાકીના બચવા માટે અન્ય સ્થળોએ જતાં રહ્યા હતા. એટલે ધોળાવીરા છેવટે એક ખંડેર જ રહી ગયું



Wednesday, June 23, 2021

BIG BREAKING NEWS Granted Higher Secondary Education Assistant Recruitment 2021

◆ Granted Higher Secondary Education Assistant Recruitment 2021 WAITING LIST Announced

 DOWNLOAD HIGHER WAITING LIST HERE

List of awards currently received

◆ હાલમાં મળેલા એવોર્ડ નું  લિસ્ટ ◆


● કેશુભાઇ પટેલ (મરણોત્તર) - પદ્મભૂષણ

● કવિ દાદ  પદ્મશ્રી 2021

● ચંદ્રકાન્ત મહેતા  પદ્મશ્રી 2021

● મહેશભાઇ અને શ્રી નરેશભાઇ કનોડીયા - પદ્મ શ્રી

● મિસ્કીન  - કવીશ્વર  દલપતરામ એવોર્ડ -2021


◆ સાહિત્ય અકાદમી પુરસ્કાર 2020 ◆


● ગુજરાતી ભાષામાં હરીશ મીનાશ્રુને તેમની કાવ્યરચના બનારસ ડાયરી માટે.

● બાળ સાહિત્ય માં નટવર પટેલ ને ગુજરાતી ભાષાની વાર્તા ભૂરીની અજાયબ સફર  માટે

મારી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે નીચેની લિંક ઓપન કરો ⤵️

 https://t.me/ShikshanDeep

◆ Join My Whatsapp Group : શિક્ષણદીપ ⤵️

 https://chat.whatsapp.com/34mPS01tAasHNnv80yZxxn