● ઝવેરચંદ કાલિદાસ મેઘાણી ( 1896 ) ●
◆ જન્મ : ચોટીલા
◆ ઉપનામ : દ.સ.ણી., સાહિત્યયાત્રી, વિલાપી, તંત્રી, વિરાટ, શાણો
◆ ઝવેરચંદ મેઘાણી ગુજરાતી લોકસાહિત્યના સૌ પ્રથમ સંશોધક અને સંપાદક હતા.
◆ જેઓએ બીજી ગોળમેજી પરિષદમાં જવા માટે ગાંધીજીને અનુલક્ષીને લખ્યું હતું કે ' છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ'.
◆ તેઓના 'યુગવંદના' કાવ્યસંગ્રહના કારણે ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને 'રાષ્ટ્રીય શાયર' બિરુદ આપ્યું હતું.
◆ ગુજરાતી ભાષાની સૌ પ્રથમ જાનપદી નવલકથા 'સોરઠ તારા વહેતાં પાણી' આપનાર કવિ છે.
◆ બંગાળીમાં લખાયેલા 'કથાઓ કાહિની'નો 'કુરબાની કથાઓ' નામે અનુવાદ કર્યો હતો.
◆ તેઓ 'કલમ અને કિતાબ' કોલમથી સાહિત્યરસિકોમાં જાણીતા બન્યા હતા.
◆ તેઓ સૌરાષ્ટ્ર, ફૂલછાબ વગેરેમાં તંત્રીપદે કાર્ય કરતા હતા.
◆ તેઓએ જન્મભૂમિ દૈનિકમાં 'કલમ અને કિતાબ' કોલમના સાહિત્યપાયાનું સંપાદન કર્યું હતું.
◆ તેઓએ 'સોરઠી સંતવાણી' નામક સંશોધન પુસ્તક પ્રગટ કર્યું હતું.
◆ બોટાદ કર્મભૂમિ હોવાના કારણે પ્રતિ વર્ષ બોટાદ ખાતે મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે.
◆ તેઓએ 'Same bodys Darling'નો અનુવાદ કોઈનો લાડકવાયો નામથી કર્યો હતો.
◆ તેઓ પોતાને પહાડનું બાળક ગણાવતા.
◆ તેમને 'કસુંબલ રંગનો ગાયક' અને 'લોક સાહિત્ય મત મોરલો' તરીકે ઓળખવામાં આવે છે.
◆ 'સોરઠી સાહિત્યકાર' તરીકે ઓળખાતા સર્જક.
◆ પત્રકાર તરીકે 'સૌરાષ્ટ્રનો સિંહ' તરીકે જાણીતા.
◆ રણજીતરામ સુવર્ણચંદ્રક (1928) અને મોતીસિંહ મહિડા પારિતોષિક સર્વપ્રથમ મેળવનાર સર્જક છે.
